1 Jul 2017

રવિશંકર મહારાજ

👁‍🗨મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’

🙏🙏માનવતાના દીવડામાં ખુદ પોતાની જાતને દીવેટરૂપે પ્રજાળી પ્રકાશ પાથરનારા વિભૂતિ વિરલ હોય છે. એવી એક વિરલ વિભૂતિ એટલે રવિશંકર માહારાજ. પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. રવિશંકર મહારાજથી ગુજરાત જેટલું સંપત્તિમાન હતું તેટલું બીજા કશાથી નહોતું. ગુજરાતની ગુનેગાર ગણાતી અને પ્રજાને ત્રાસરૂપે નીવડેલી કોમોમાં મહારાજે જીવનભર કામ કર્યું. તેમના અંતરમાં માતાનું અમર્યાદ વાત્સલ્ય ભર્યું પડ્યું હતું.

👁‍🗨રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી , જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી.

✅પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.

👁‍🗨ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

🏆🏆👉વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે 👉૧ લાખનો
રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના ♦️સમાજ કલ્યાણ વિભાગ♦️ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.

👁‍🗨જન્મ- 25મી ફેબ્રુઆરી, 1884 ( મહા શિવરાત્રિ ); રઢુ ગામ ( જિ. ખેડા)

👁‍🗨ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે

👁‍🗨🐾🏆 રણજિતરામ સુવર્ણચંદ્રક સૌપ્રથમ ચંદ્રક ઝવેરચંદ મેઘાણીને એમના પુસ્તક “માણસાઈના દિવા” માટે જાહેર થયું.

👉આ પુસ્તક પૂજ્ય રવિશંકર મહારાજના જીવન ઉપર આધારિત હતું, એટલે મેઘાણીએ કહ્યું કે આ પુરસ્કાર ઉપર રવિશંકર મહારાજનો હક્ક છે, હું એ ન સ્વીકારી શકું.
🗣રવિશંકર મહારાજે કહ્યું, કલાનો કસબ તો મેઘાણીનો છે, પુરસ્કાર પુસ્તકને મળ્યું છે, એટલે એના સર્જક તરીકે મેઘાણીએ પુરસ્કાર સ્વીકારી લેવો જોઈયે.
👉આમ બે માંથી કોઈયે પણ એ પુરસ્કારનો સ્વીકાર ન કર્યો. આવા લોકો પણ ગુજરાતની ઘરતી ઉપર હતા.

♻️✅શ્રમ, સાદાઈ અને સંયમ એ મહારાજના જીવનના ત્રણ પ્રધાન ગુણો હતા. જનતાને પણ તેમણે એ જ ગુણો કેળવવાનો બોધ આપ્યો. તેઓ ચેતવણી રૂપે કહેતા, હવેનો જમાનો પરિશ્રમનો આવે છે. પરિશ્રમ નહિ કરે તે ભૂખે મરશે.

👁‍🗨મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. મહારાજનો જન્મ માતર તાલુકાના રઢુ ગામે વિ.સં.1940ની મહાશિવરાત્રીના એટલે કે 25મી ફેબ્રુઆરી, ઇ. 1884ના રોજ થયેલો. નાનપણમાં ખૂબ તોફાની. માતા પાસે બેસી કિશોર રવિશંકર માતાને રામાયણ, ભાગવત વગેરે સંભળાવે એટલું જ નહિ પણ માતા સાથે દળણું દળવા પણ બેસી જાય. ધૂળી નિશાળના આચાર્ય એમના જ પિતા. એ શિવરામ મહેતાજી વિદ્યાર્થીના અભ્યાસની કચાશ સહી લેતા, પણ સંસ્કારની કચાશ મુદ્દલ નહિ.
👁‍🗨👁‍🗨સન 1899-1900માં આખા પ્રાંતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો। ચેપી રોગ હોવાથી સૌ પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત. કોઈ રોગીની પાસે ફરકતું નહોતું. મરેલાની અંતિમ ક્રિયા કરવાની કોઈમાં હામ નહોતી. તે સમયે જે તે વિસ્તારમાં કોઈ સ્વર્ગ સિધાવી ગયું છે કે અલ્લાહને પ્યારું થઈ ગયું છે તેવી જાણ કિશોર રવિશંકરને થાય કે તરત જ તે પોતાના મિત્રોને લઇને ત્યાં પહોંચી જાય અને મૃતકની અંતિમ ક્રિયા કરે. તે સમયે પ્લેગે કાળો કેર મચાવ્યો હતો અને તેમાંથી રવિશંકરના માતા-પિતા પણ બચી શક્યા નહોતા. તેમણે 19મા વરસે પિતાનું તો 22મા વર્ષે માતાનું છત્ર ગુમાવ્યું. ભણતર કેટલું ? માત્ર છ ચોપડી. પણ તેઓ તેમની પાસે અનુભવનું ભાથું વધારે હતું.

👁‍🗨👁‍🗨મહારાજ છેક નાનપણથી નિર્ભય. ભૂત જોવા મધરાતે સ્મશાનમાં જવું, લડતા પાડાને લાકડી વડે છૂટા પાડવા, બહારવટિયાની શોધમાં એકલા ઘૂમવું એ તો મહારાજને માટે રમત વાત. સમાજ અને ધર્મની દુર્વ્યવસ્થા તેમને ખૂંચતી. કાકાસાહેબે મહારાજને સંસ્કૃતિવીર કહ્યા હતા. ડુંગળીચોર તરીકે પ્રસિદ્ધિ પામેલા મોહનલાલ પંડ્યાના સંપર્કમાં મહારાજ આવેલા. તે અરસામાં દક્ષિણ આફ્રિકાથી હિંદ આવી ગાંધીજી અમદાવાદ રહ્યા.

👁‍🗨✅ગુજરાત રાજ્યની સ્થાપના સન 1960માં તેમના શુભ હસ્તે થઈ હતી। તે સમયે તેમણે ગુજરાતના રાજકારણીઓને જનસેવક બનવાની અને સાદગી જાળવી જનતાના હિતમાં શાસન કરવાની સલાહ આપી હતી. અફસોસ આજે મહારાજની સાદગી અને જનસેવાની ભાવનાનું ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી. મહારાજે સૂચવેલી સાદગીના સ્થાને ગુજરાતના શાસકો અત્યારે પોતાની પ્રશંસા કરતાં પાટિયા ઠેરઠેર ઊભા કરી પ્રજાને માથે કાળો કેર મચાવી રહ્યાં છે. જનસેવા કરવાના નામે ઠેરઠેર તાયફા રચી ભોટ જનતાની વધુ ને વધુ છેતરપિંડી કરવાના કારસા રચાઈ રહ્યાં છે. ક્યાં સત્તાના કેફમાં મદમસ્ત આધુનિક કૌરવસેના અને ક્યાં મહારાજના સિદ્ધાંતો.....

👁‍🗨ઈ. 1960ના મે માસની પહેલી તારીખે મુંબઈના દ્વિભાષી રાજ્યોમાંથી છૂંટું પડી વર્તમાન ગુજરાત સર્જાયું. એ ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવા માટે રવિશંકર મહારાજને પસંદ કરવામાં આવ્યા હતા.
સમગ્ર જીવનદર્શનના નિસ્તારરૂપે એમણે કહ્યું છે કે, શ્રમ કર્યા વિના જીવે એ હિંસા કરે છે. અહિંસક એ કહેવાય જે કોઈનું લોહી ના લે. પરસેવો પણ લોહીનો પ્રતિનિ

ધિ છે. આપણા માટે કોઈ પરસેવો પાડે એ પાપ છે.

ગુજરાતના આ મૂકસેવક પ્રખર ગાંધીવાદી હતા. 101 વર્ષમાં પ્રવેશ કરી ઈ. 1984ના જુલાઈની પહેલી તારીખે તેમણે મહાપ્રયાણ ક્યું. ભૂદાનપ્રવૃત્તિના એ જબરા ચાહક હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨સન 1899-1900માં આખા પ્રાંતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો। ચેપી રોગ હોવાથી સૌ પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત. કોઈ રોગીની પાસે ફરકતું નહોતું. મરેલાની અંતિમ ક્રિયા કરવાની કોઈમાં હામ નહોતી. તે સમયે જે તે વિસ્તારમાં કોઈ સ્વર્ગ સિધાવી ગયું છે કે અલ્લાહને પ્યારું થઈ ગયું છે તેવી જાણ કિશોર રવિશંકરને થાય કે તરત જ તે પોતાના મિત્રોને લઇને ત્યાં પહોંચી જાય અને મૃતકની અંતિમ ક્રિયા કરે. તે સમયે પ્લેગે કાળો કેર મચાવ્યો હતો અને તેમાંથી રવિશંકરના માતા-પિતા પણ બચી શક્યા નહોતા. તેમણે 19મા વરસે પિતાનું તો 22મા વર્ષે માતાનું છત્ર ગુમાવ્યું. ભણતર કેટલું ? માત્ર છ ચોપડી. પણ તેઓ તેમની પાસે અનુભવનું ભાથું વધારે હતું.

🔰🔰તે સમયે ભારતમાં ધોળા અંગ્રેજોનું શાસન હતું। (અત્યારે કાળા અંગ્રેજો શાસન કરે છે) હિંદુસ્તાનમાં વંદેમાતરમની ગૂંજ ઠેરઠેર સંભાળતી હતી. આ દરમિયાન રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા આતુર રવિશંકર સ્વાતંત્ર્યસેનાની મોહનલાલ કામેશ્વર પંડયાના સંસર્ગમાં આવ્યા. તેમણે રવિશંકરમાં રહેલી તાકાત અને ઊર્જા પિછાણી. દરમિયાન 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવી ગયા અને તેમણે અંગ્રેજો સામે આઝાદીની લડત શરૂ કરી. તેમણે અમદાવાદમાં કોચરબ ગામમાં આશ્રમ શરૂ કર્યો.

👏👏અહીં ગાંધીજીની રવિશંકર વ્યાસ સાથે મુલાકાત થઈ જેણે રવિશંકરની જીવનને એક નવી દિશા આપી અને રવિશંકર વ્યાસમાંથી રવિશંકર મહારાજ તરફની યાત્રા શરૂ થઈ। ગાંધીજીએ અંગ્રેજ સરકારે જપ્ત કરેલા પુસ્તક 'હિંદ સ્વરાજ' પુસ્તકની નકલો વહેંચવાનું કામ તેમને સોંપ્યું અને તેમણે નડિયાદમાં ઘેરઘેર તે પુસ્તક વહેંચ્યું.

👁‍🗨👁‍🗨ઇ. સ. 1922માં ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું જેની શરૂઆત બારડોલીથી થવાની હતી. તેમાં ભાગ લેવા 2,000 સ્વયંસેવકોએ નામ નોંધાવ્યા હતા જેમાં બે નામ સૌથી અગ્રેસર હતા-મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજ. આંદોલન શરૂ થાય તે પહેલાં જ અંગ્રેજોએ બાપૂની ધરપકડ કરી અને છ વર્ષ જેલની સજા કરી. તે સમયે જેલની બહાર ત્રણ કલાકથી બાપૂના દર્શનની રાહ જોતા ઊભેલા રવિશંકર ચુકાદો સાંભળીને રડી પડેલાં. ત્યારે ગાંધીજીએ તેમને કોમની સેવા કરવાનું કહ્યું હતું. તેમનો એ પડ્યો બોલ ઝીલી તેમણે ધારાળા, પાટણવાડિયા, બારૈયા જેવી કોમની સેવા કરવાનો સંકલ્પ કર્યો.

👁‍🗨તેમણે ચોરી કરીને જીવન ગુજરાતી કોમો વચ્ચે જઈ તેમના જીવનમાં માનવતાની મહેંક પ્રસરાવી હતી। દારૂબંધીથી માંડીને દુકાળમાં રાહત આપવા સુધીનાં અને કોલેરાથી માંડીને અતિવૃષ્ટિની મુશ્કેલીમાં જનસેવા કરી માનવસેવા એ જ પ્રભુસેવાનો સંદેશ આપ્યો.

👁‍🗨જનસેવા કરવા ઉઘાડા પગે સેંકડો માઇલનો પ્રવાસ ખેડનાર મહારાજ ભ્રષ્ટાચારથી વ્યથિત હતા. તેમણે તેમના મૃત્યુના આઠ-દસ મહિના પહેલાં તમામ સંસ્થાઓમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પોતાના અંતિમ સંસ્કાર સાદગીપૂર્ણ રીતે કરવા અને પોતાની પાછળ કોઈ સ્મારક ઊભું ન કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ બોચાસણમાં પોતાના પુત્ર પાસે ચાલ્યાં ગયા. ત્યાં તેમણે પોતે પાંચ દાયકા પહેલાં સ્થાપેલા આશ્રમમમાં 1 જુલાઈ, 1984ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
💥                          💥                         💥

No comments:

Post a Comment