આવો ફરી અેક ઇતિહાસ નુ પાન પલટાવીઅે અને વાત કરીયે મા હરસિદઘી ની રાજપીપળા મા પ્રગટયની. રાજપીપળા નથી ગાદી પર 1650 ની આસપાસ ગોહિલ વશ ના પચીશમા ગાદીવારસ તરીકે શ્રીછત્રસાલજી મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને તે ઘણા ઘમિસ્ટ હતા. તેમની રાણી નુ નામ નંદકુવરબા હતુ. તેઓ બંને ઘણા ઘરમીસ્ટ હતા. અને બંને મા હરસિદઘી ના ઉપાસક હતા. મા ને અસીમ કૃપા થી ઇ. સ. 1630 તેમને ત્યાં પુત્ર નો જનમ થયો. સમય જતા માતા પિતા ની માફક પુત્ર પણ દયાળુ,ઘમિસ્ટ અને દેવીભકત થયા તેમનુ નામ રાખ્યુ વેરીસાલજી માતા પિતા નો ધામિક વારસો તેમને મળ્યો તેઓ પણ માતા પિતા સાથે જગત જનની મા હરસિદધી ની ઉપાસના કરવા ઉજૈન જતા. 12વરસ ની ઉંમર દરમ્યાન તેઓ અનેક વખત ઉજૈન મા ના દશૅનાથૅ જય આવ્યા. તેમણે પોતાની માતાજી ને અનેક પ્રશ્નો પુછતા. મા હરસિદધી કયાંથી આવ્યા. આ મદિર કોણે બઘાવિયુ વિગેરે. માતાજી અને એમને સમજાવે કે દિકરા આ મદિર માતાજી ના પરમ ઉપાસક મહારાજા વીર વિકમસિહે બનાવેલ અને તેઓ મા હરસિદધી ને કોયલા ડુગર પરથી ઉજૈની નગરી મા લઇ આવેલ. આ વાત સાંભળી વેરિશાલજી ને વિચાર આવ્યો કે જો રાજા વિકટ માતાજી ને ઉજૈન લાવી શકતા હોય તો હી કેમ માતાજી ને મારી નગરી મા ન લાવી શકી? બાળવેરિશાલજી અે દશૅન કરતા કરતા પુછી લઘુ કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દશૅન માટે વારંવાર અહી સુધી આવવુ ન પડે આ કાલીધેલી વાત સાંભળી મહારાજા છત્રસાલજી અને માતા નંદકુવરબા હસી પડેલ. પરંતુ કુવરે ગંભીરતાથી જણાવેલ કે ખરેખર હી માતાજી ને હોય થી ભક્તિ કરીશ અને માતાજી ને મારી સાથે રાજપીપળા લઇ જઇશ. અને પુજારીજી પાસેથી પૂજા વિધી અને મંત્ર "ઓમ હરસિદધી યે નમ:"જાણી ને સમજી લીધો. થોડા દિવસ ઉજૈન રોકાઈ રાજા રાણી સાથે કવર રાજપીપળા આવી ને મા હરસિદધી ની ઉપાસના મા લાગી ગયા. સમય જતા અને માતાજી ના પરમ ભકત બની ગયા. 1652 મા તેમના પિતાજી નો સ્વગૅવાસ થયો. 22 વષૅ ની ઊંમરે અેમનો રાજયાભિશેક થયો. અેક પ્રજા વત્સલ રાજા તરીકે એમણે પ્રજા નુ દિલ જીતી લીધુ ત્યારે પણ અેમનો ઉજૈન દશૅનાથૅ આવવાનો એમનો નિયમ અને મા પ્રત્યે ની અેમની શ્રદ્ધા અણનમ હતા. એમની કાયમી વિનવણી થી માતાજી ને 1657મા એમને સપના આવી ને જણાવેલ કે તારી ભકતી થી રાજી થઈ હુ અન્ય દેવતા સાથે તારા વિદયાચલ પ્રદેશ મા આવવા તૈયાર છે. મારી સાથે વીરવૈતાલ અને મહાબળેસ્વર મહાદેવ પણ આવશે. મારી એક શતૅ રહેશે કે અમે તમારી પાછળ ચાલ્યા આવીશુ પણ તમારે પાછા વળી ને કયા જોવાનુ રહેશે નહી. આટલુ કહી માતાજી અતરદયાન થઈ ગયા. સવારે નિત્ય કમૅ પરવારી ત્રણ દિવસ ના પ્રકાશ બાદ ઉજૈન પહોચી ગયા. માતાજી ના મંદિરે જય પૂજા ની સરુઆત કરતા જણાયુ કે કંકુ ભૂલાઈ ગયેલ છે. રાજા અે કટારી કાઢી પોતાની ટચલી આગડી કાપી રુધીર થી માતાજી ને પુજા કરી બીજા દિવસ પ્રાંતહ રાજપીપળા આવવાની વિનંતિ કરી. બીજા દિવસ સવારે આકાશવાણી થઈ કે રાજન મારુ ને રાજપીપળા નુ સમરણ કરી ધોળા પર આરુઠ થઈ જાવ ઘણાં જ ટૂક સમય મા રાજપીપળા પહોચી જવાશે. હી તમારી પાછળ આવુ છે. માતાજી ના પ્રભાવ થી વાયુ વેગે ત્રણ કલાક મા રાજપીપળા નુ પાર આવી જતા રાજા ને આશ્રય થયુ રાજા સરત ચુકયા અને પાછળ જોયુ તો માતાજી બાલિકા સ્વરુપે વાઘ પર સવાર થઇને આવી રહેલ હતા. માતાજી એ રાજનને શતૅ પ્રમાણે રોકયા અને ત્યાંજ અેમના સમારક બાધવાનો આદેશ આપ્યો. માતાજી ને પોતાના મહેલ મા સ્થાપના કરવાના રાજા ના અરમાન અધૂરા રહયા. જયા ગામની બહાર વાધ પર માતાજી એ રાજા ને દશૅન આપેલ એ દિવસ ઈ. સ. 1657 ની સાલનો નવરાત્રી ના આઠમને મંગળવાર નો દિવસ હતો. રાજા એ માતાજી, મહાદેવ અને વીર વૈતાલ ના મંદિર બનાવડાવયા પોતાની માતાજી નંદકુવરબાની યાદ મા નંદપુર ગામ વસાવયુ 1660 મા નંદકેસ્વર મહાદેવ ને મંદિર બનાવયુ સમય જતા નંદપુર થી નાદોદ તરીકે ઍઓળખાયુ. અને આજ નું આ નાદોદ જૂનારાજ પર થી રાજપીપળા કહેવાય છે. ઈ. સ. 1707 મા દુકાળ પડ્યો ત્યારે રાજા અને મંદિર બહાર તળાવ અને પ્રયોગશાળા ની બાજુ મા વાવ બનાવડાવી. મહારાજા વેરીસાલસિહજી અે 61 વષૅ સુઘી સારી રીતે રાજ કરી 85 વષૅ ની ઉમરે ઈ. સ. 1751 મા માતાજી ના ધામા જવા માટે સદા ને માટે પોઢી ગયા. તેમના પુત્ર જીતસિહે નંદપૂર થી રાજપીપળા ગાદી ની સ્થાપના કરી. ત્યાર પછી પ્રતાપસિંહ, રાયસિહ, અજબસિહ, રામસિંહ, નહારસિહજી, બીજા વેરીસાલસિહજી, ગંભીરસિહજી, છત્રસાલસિહજી, વિજયસિહજી, રાજેદસિહજી, તથા હાલ ના રધુવીરસિહજી છે. 1950 મા માતાજી ને મંદિર ગુજરાત સરકાર ને સોપાયુ ત્યાર થી 1973 સુધી ગુજરાત સરકારે વહીવટ કર્યો. ત્યાર બાદ હાલ વહીવટ હિંદુ દેવસ્થાન કમીટી પાસે છે.
No comments:
Post a Comment